કાંકરેજ દિયોદર તેમજ ભાભરના ખેડૂતો આજે ડીસાના નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાની જમીનમાંથી પસાર થતી હેવી વીજ લાઈન માટે પુરા વળતરની માંગ કરી હતી. ખેડૂતોની માંગ છે કે અદાણી ગ્રૂપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે. જે અંતર્ગત તેમણે સરકારના માર્ગદર્શિકા મુજબ 15 ટકા વળતર મેળવવા માટે સરકારની જોગવાઈ હોવા છતાં કંપની દ્વારા માત્ર ન કહી શકાય તેવું વળતર આપી કામગીરી શરૂ કરી આવી છે. જેને લઇને ખેડૂતોમાં આક્રોશ છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ટ્રાન્સકો કંપની દ્વારા પૂરેપૂરું વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી કંપનીના હેવી વીજ લાઈન કામગીરીને અટકાવવામાં આવશે.