થરાદ ની જે જે હોસ્પીટલ ની ગંભીર બેદરકારી થી સૂઇગામ તાલુકા ના નેસડા (ગો) બાળકી નું મોત

સૂઇગામ તાલુકા ના નેસડા ગોલપ ગામ ના રાઠોડ મેઠાભાઈ સારેંગભાઈ ની પુત્રી ભૂમીબેન રાઠોડ ની ઉ. વ 11 ગળા ના ભાગે ખીલ થતાં સારવાર અર્થે ગત 21/05/2022 ના રોજ થરાદ ખાતે ની પ્રાઇવેટ જે.જે. હોસ્પિટલ ખાતે બાળકી ને ભરતી કરવામાં આવી હતી !ફરજ પર ના તબીબ ડો જે જે પટેલે બાળકી ની બોડી ચેકઅપ કર્યા બાદ બાળકી ને ગળા ના ભાગે ખીલ હોવાથી ખીલ પાકી જવાથી વધુ પડતી રસી  લીધે દર્દ થતું હોવાની જણાવી આ ખીલ નું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. વધુ માં બે દિવસ ની સારવાર બાદ આ પીડિત બાળકી ને રજા આપવાનું કહ્યું હતું.ડોકટર ના ખ્ય અનુસાર બાળકી ના પિતા મેઠાભાઇ રાઠોડે તેમની દીકરી ભૂમિબેન હોસ્પિટલ માં ભરતી કરી દીધી હતી.ત્યારબાદ ફરજ પર ના તબીબે જે જે પટેલે. ભૂમીબેન નું ઓપરેશન કરિદિધુ હતું. ઓપરેશન બાદ રજા આપી દીધી હતી.પરંતુ ભૂમીબેન ને ઘરે ગયા બાદ ગળા ના ભાગે સતત દુખાવો શરૂ થયો હતો અને લોહી પ્રવાહ સતત ચાલુ થઈ જતાં ભૂમિ બેન ના સ્નેહી જનો એ ફરિપા છો ડો જે જે પટેલ નો સંપર્ક કરી બાળકી ની થતી તમામ વેદનાઓ વ્યક્ત કરી હતી.ફરજ પર ના જે.જે પટેલે બાળકી ને અમદાવાદ ખાતે રિફર કરવાનું જણાવ્યું હતું જે સંદર્ભે થોડી બોલાચાલી બાદ બાળકીના પીડિત પરિવાર બાળકી ને લઈને અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા.પરંતુ વધુ પાડતા સતત લોહી નો પ્રવાહ ચાલુ રહેતા પીડિત બાળકી ના પરિવાર જનો e બાળકી ને પાલનપુર ખાતે ની એક ખાનગી હોસ્પિટલ માં ચેક અપ કરાવતા ખાનગી હોસ્પિટલ ના તબીબે જણાવ્યું હતી કે બાળકી ના ગળા ના ભાગે ડોકટર ની બેદરકારી ના લીધે ધોરી નસ કપાઈ જતા લોહી નો પ્રવાહ સતત ચાલુ છે બાળકી ને સ્થિતિ ને વધુ ગંભીર હોવાની તાત્કાલીક અમદાવાદ રીફર કરવાનું જણાવતા બાળકી ને અમદાવાદ લઈ જતા નિર્દોષ બાળકી નું રસ્તા માં ભાડું ન પાટિયા પાસે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું જેથી કરીને બાળકી ના સ્નેહિંજનો ભૂમિ ના મૃતદેહ ને થરાદ ખાતે ની જે.જે હોસ્પીટલ માં પરત લાવી જે જે હોસ્પીટલ ના તબીબ ને સમગ્ર હકીકત જણાવતા ફરજ પરના ડોકટર જે જે પટેલે હોકી વડે હુમલો કરતા બાળકી ના સ્નેહી જનો એ બાળકી ના મૃતદેહ ને હોસ્પિટલ મૂકી જણાવ્યું હતું કે ડોકટર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં નહિ આવે ત્યાં સુધી અમો મૃતદેહ ના ઉઠાવ વા ની જણાવતા મામલો ભારે ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આ બાબત ની ચકાસણી કરી ડો જે જે પટેલ  કલમ 304 વિરૂદ્ધ ગુન્હો નોધત્તા થરાદ ખાતે આવેલા તબીબ આલમ સન્નાટો વ્યાપી ગયો હતો અને ડો જે જે પટેલ ભૂગર્ભ ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે

ઉલ્લેખનીય છે કે રાજકીય ઓથા હેઠળ થરાદ ખાતે ચર્ચા ના વમળો માં ચાલતી જે જે હોસ્પિટલ ના ભૂતકાળ માં અન્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જે મુદ્દે યે હૈ ન્યૂઝ ઈન્ડિયા ચેનલ આ મુદ્દે પૃષ્થી કરવા માંગતું નથી પરંતુ થરાદ તાલુકા ના ગ્રામીણ વિસ્તાર ના એક યુવકે આ હોસ્પિટલ માં તોડ ફોડ કરવાનો મુદ્દો સમગ્ર થરાદ શહેર માં ચર્ચા નો વિષય બન્યો હતો તેમજ એક યુવક ના કાન નો પડદો તૂટી જતા આ હોસ્પિટલ વિવાદ ન મુદ્દે ચર્ચામાં રહી હતી હવે જોવાનું એ રહ્યું કે આ નિર્દોષ બાળકી ના મોત ના મુદ્દે તબીબ જે જે પટેલ જેલ ના સળિયા પાછલ ધકેલાય છે કે પછી?તેને બચાવવા થઈ રહેલા રાજકીય નેતા ના પ્રયાસો સફળ નીવડશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *