સરહદી બનાસકાંઠા માં ગત રોજ ભારે પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ પડતા વાવ તાલુકા ના વાસરડા ગામે વીજળી પડવા ની ધટના સામે આવી છે જેમાં મળતી માહિતી અનુસાર ગતરોજ રાત્રી ના ૧૦:૦૦વાગ્યા સમયે વરસાદી માહોલ માં પરમાર લાખાભાઈ હેગોળભાઈ ને ૨ ભેસો ના મોત થતા હતા જેની તંત્ર ને જાણ કરાતા જવાબદાર તંત્ર ધટના સ્થળે પહોચી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ખેડૂત ને અંદાજીત ૧૬૦૦૦૦ નું આર્થિક નુકશાન થવા પામ્યું છે ખેડૂત સાથે વાતચીત કરતા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં પશુ ઓ ના મોત બાબતે સરકાર આર્થિક સહાય આપે તેવું ખેડૂત માંગ કરી રહ્યો છે