વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજથી ભાવનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ વિશાળ બાઇક રેલી કાઢી જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને ટિકિટ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ નક્કી કરશે.ચૂંટણીની તૈયારીઓ:ભાવનગરમાં સી.આર. પાટીલે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી ભાવનગર16 કલાક પહેલા આવતીકાલે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ અને માર્કેટિંગ યાર્ડમાં પ્રદેશ પ્રમુખના ભરચક કાર્યક્રમો વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજથી બે દિવસ ભાવનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ વિશાળ બાઇક રેલી કાઢી જવાહર મેદાન ખાતે પેજ સમિતિ સંમેલન યોજાયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને ટિકિટ માત્રને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ નક્કી કરશે. ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પેજ પ્રમુખોને આગામી ચૂંટણીને અનુલક્ષીને તૈયારીઓમાં લાગી જવા અને મતદાનના દિવસ સુધી કાર્યરત રહેવા હાંકલ કરી હતી. આ તકે તેમણે વિપક્ષ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવાની તક છોડી ન હતી. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દેશની સંપત્તિ પર અધિકાર અંગે કરેલાં જ્ઞાતિગત વિધાનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે વખોડ્યું હતું અને દેશની સંપત્તિ પર સૌનો સમાન અધિકાર હોવાનું કહ્યું હતું. તો તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ગુજરાત આવતા એક રાજકીય પક્ષને ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગુજરાતની પ્રજાએ પાઠ ભણાવ્યો હતો અને તેમના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ કરાવી હતી તેઓને આગામી ચૂંટણીમાં ફરી પાઠ ભણાવવાની જરૂર છે તેમ કહી પેજ પ્રમુખોને કમળનું નિશાન લઈને આગામી વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતરનાર તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા હાકલ કરી હતી.