યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
- નરેશકુમાર રાણાજી વેંજીયા એ જણાવ્યું હતું કે જો આ કામની કોઇ તપાસ કરવામાં નહી આવે તો અને ખેડૂતો સાથે નાછુટકે ક કોર્ટનો સહારો લેતા પણ ખચકાશું નહીં
મળતી માહિતી મુજબ તેમજ સોશ્યલ મીડિયામાં ફરતી પોસ્ટો અને વાવ તાલુકા વિકાસ અધિકારી થી મુખ્યમંત્રીશ્રી સુધી રજુઆત કરવા માં આવેલ છે કે, વાવ તાલુકામાં અમલી હરિયાળી પ્રોજેક્ટ અંતર્ગત જે કૌભાંડો આચરવામાં આવેલ તે બાબતમાં યોગ્ય તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવા દાદ માગવામાં આવેલ..
રાજપૂત નરેશકુમાર રાણાજી(કિશાન મોરચા પ્રમુખ વાવ શહેર બી.જે.પી.)ની મુલાકાત લીધી તો તેમણે જણાવેલ કે “અમો લગભગ ચાર પાંચ મહિનાથી સોશ્યલ મીડિયાના માધ્યમ(ફેસબુક, ટ્વિટર, વોટ્સેપ, ઇમેઇલ્સ) થી તેમજ લેખિત ટપાલ વ્યવહાર થી વાવ તાલુકા વિકાસ અધિકારી થી લઇ મુખ્યમંત્રીશ્રી સુધી રજૂઆતો કરી છે કે, વાવ તાલુકાના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે હરિયાળી પ્રોજેક્ટ અમલમાં આવેલ આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં બંધ પાળા બાંધવા, જમીન સમતળ કરવી, તળાવ ઊડા કરવા, નવા તળાવ બનાવવા, સિલાઈ કામના સાધનો આપવા, પશુઓ માટે હવાડા બનાવવા, પશુ કેમ્પો કરવા, દવા છાંટવા ના પંપ આપવા, ખેડૂતોને હાઈબ્રેડ બિયારણો આપવા,પાક નિદર્શન ગોઠવવું, કિચન ગાર્ડન બનાવવા, ખેડૂતો ને પોતાના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવી આપવી, પશુ સેડ બનાવવા, પુર સરક્ષણ દીવાલો બનાવવી, ડ્રીપ એરેગિસન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવી, ટ્રેકટરોના સાધનો આપવા, સ્મશાન છાપરીઓ બનાવવી, રોડ બનાવવા, પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, રેઈનબસેરા બનાવવા, પશુઓ ની નિયાર કાપવાના સુડા ઉપલબ્ધ કરાવવા, ગામમાં જો અશુદ્ધ પાણી ઢોળાતું હોય અને કીચડ તેમજ ગંદકી ફેલાતી હોય તો ગટર લાઈનો નાખવી, બાગાયતી રોપાઓનું વિતરણ કરવું, સમૂહ મંડળો બનાવી તે સમૂહ મડળોના સભ્યો આત્મનિર્ભર બને તે માટે તેઓ ગૃહઉધ્યોગ કરી પોત પોતાનું ઘર ચલાવી સકે અને રોજીરોટી મળી રહે તેમતે ધંધા મુજબ યોગ્ય રકમ આપવી. જેવી અનેક યોજનાઓ આ હરિયાળી પ્રોજેક્ટમાં આવરી લેવાઇ હતી પરંતુ આજના લેભાગુ અધિકારીઓ અને જેતે ગામના ચેરમેન અને મંત્રીઓ દ્વારા ખેડૂતોની/સમૂહ જૂથોની ખોટી સહીઓ લઈ, સરકારી રૂપિયાની મોટી ઉચપતો કરી કૌભાંડો આચરેલ છે તેની તપાસ માટે રજૂઆતો કરેલ પરંતુ આજ દિન સુધી આવા કૌભાંડી અધિકારીઓ અને જે તે ગામના મંત્રી કે ચેરમેન વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી.”ઉપર મુજબ સરકારશ્રી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો આ હરિયાળી પ્રોજેકટ નું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે અને આ લેભાગુ અને લાચિયા અધિકારીઓ તેમજ જે તે ગામના મંત્રી ચેરમેનો સરિયાળી પાછળ ધકેલાય તેમ છે અને આ જગતના તાતને સાચો ન્યાય મળે તેમ છે.
ભારતીય જનતા પાર્ટી,કિશાન મોરચો વાવ દ્વારા વિવિધ જગ્યા ઓ એ કરાઇ રજુઆત…
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિજયભાઇ રૂપાણી,આર.સી.ફળદુ,નરેન્દ્રભાઈ તોમર,પુરૂષોત્તમભાઇ રૂપાલા,પરબતભાઇ પટેલ,કમિશનર ઓફ રૂરલ ડિપાર્ટમેન્ટ, બનાસકાંઠા કલેક્ટર,પ્રોજેક્ટ મેનેજર,જિલ્લા વિકાસ અધિકારી,નિયામક સાહેબ,પ્રાંત અધિકાર ,મામલતદાર વાવ તેમજ તાલુકા વિકાસ અધિકાર ને રજુઆત કરવામાં આવી હતી