કોંગ્રેસની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થશે, પાંચ મહિનામાં 3570 કિમિ યાત્રા કરશે

કોંગ્રેસ આવતીકાલે કન્યાકુમારીમાં એક મેગા રેલીમાં તેમની 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરૂ કરશે. કોંગ્રેસનું કહેવું છે કે તે આર્થિક વિષમતાઓ, સામાજિક ધ્રુવીકરણ અને રાજનીતિક કેન્દ્રીકરણની સમસ્યા અને વિચારધારાની લડાઈના રૂપમાં આ રેલી કાઢી રહી છે. ભારત જોડો યાત્રા શરૂ કરવા પહેલા કોંગ્રસના પૂર્વ નેતા રાહુલ ગાંધી આવતીકાલે શ્રીપેરંમદૂરમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સમાધિ પર પ્રાર્થના સભામાં સામેલ થશે. કોંગ્રેસ નેતા ત્યાથી કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રહેશે. રાહુલ ગાંધીને ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ આપવામાં આવશે. યાત્રાની શરુઆત પહેલા રાહુલ ગાંધી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ તિરુવલ્લુર મૂર્તિ અને કામરાજ મેમોરિયલ પણ જશે. યાત્રા પહેલા રાહુલ ગાંધી રવિવારે પાર્ટીની મોંઘવારી પર હલ્લા બોલ રેલીમાં કહ્યું કે સરકાર દ્વારા દરેક રસ્તો બંધ કરી નાખ્યો છે. અને કોંગ્રેસ હવે લોકો પાસે જવાનું છે અને સાચું બતાવવાનું છે આ માટે પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. કોંગ્રેસ તેમજ વિપક્ષ નેતા ભાષણ નથી આપી શકતા, અમારા માઈક બંધ છે અમે ચીન હમણાં વિષે વાત કરવા માંગીએ છે તે નથી કરી શકતા, ફુગાવા વિષે વાત કરવા માંગીએ છીએ પરંતુ તે નથી કરી શકતા. ભારત જોડો યાત્રા લગભગ રોજ 23 કિલોમીટર ચાલવાની યોજના છે. કોંગ્રેસનો દાવો છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પોતાની યાત્રામાં કોઈ પણ ભોગે મન ની વાત નથી પરંતુ એનો ઉદેશ્ય લોકોની ચિંતા અને માંગોને દિલ્હી સુધી પહોચાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *