સરકાર પર વાવ સરપંચ સંગઠન ના પડકારો ,લંપી થી ગાયો ના મોત ના સાચા આકડાકીય માહિતી સાથે આવેદન પત્ર પાઠવ્યું

સમગ્ર રાજ્ય સહીત બનાસકાંઠા જીલ્લા માં ગૌ ધન ઉપર લંપી રોગ પ્રસર્યો છે જેમાં સરહદી વિસ્તાર ના ગામડાઓ માં ગૌ ધન નું વધુ મરણ પ્રમાણ હોવાને લઈને વાવ સરપંચ એસોસિએશન દ્વારા વાવ મામલદાર કચેરી ખાતે મુખ્યમંત્રી ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં વાવ તાલુકા ના ૭૨ ગામો માં સરપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ  ૫૦૦૦ હજાર થી વધુ ગાયો ના મોત નો આકડો સામે આવ્યો છે.જયારે જવાબદાર અધિકારી બનાસકાંઠા જીલ્લા માં ગાયો નો મોત નો આંકડો ૧૦૦૦ થી વધુ બતાવે છે.કેમ જીલ્લા ના આંકડા અને ગામડા ઓ ના આકડા છુપાવવામાં આવે છે.જેને લઈને ગૌ પ્રેમી એ જણાવ્યું હતું કે જયારે ચુંટણી આવે છે ત્યારે આ સરકાર ગાયો ના નામે વોટ લઈ જાય છે ત્યારે ગાયો ઉપર આવેલી આપતી વખતે કહ્યા છે સરકાર જેવા જો અત્યારે  સરકાર કહી નહિ કરેતો આગામી ચુંટણી માં જોઈ લેવાનું કહી અનેક આકરા પ્રહારો કર્યા હતા.  

વાવ તાલુકા માં ક્યાં કેટલા પશુઓ ના મોત થયા છે

ભડવેલ:૭૫ , બીયોક:૧૦૦,ભાખરી :૧૧૦ , ઉમેદપુરા:૩૦ ,ટડાવ :૬૫ ભાટવરવાસ : ૧૨૦, રાછેણા :૭૦, કુંભારડી :૭૦ , ખરડોલ : ૮૦ , પાનેસડા : ૫૦ ,આકોલી : ૭૦ ,ટોભા : ૩૦ , ગોલગામ : ૧૭૦ , ઢીમા ૪૦૦, ભાટવરગામ : ૨૦૦ , મીઠાવી ચારણ : ૬૦ , મીઠાવી રાણા :૪૦ ,દૈયપ: ૭૦ ,વાવ :૪૨૭ ,પ્રતાપપુરા :૭૦ ,નાલોદર :૪૦ ,રામપુરા :૬૦,આસરાગામ :૨૨૦,બાલુંન્ત્રી :૧૧૦ ,અરજણપુરા :૩૦,તેજપુરા :૨૦,લોદ્રાણી :૧૦૦,બુકણા :૧૦૦,વાવડી : ૨૫૦ ,આસારા વાસ :૬૦ ,ધરાધરા:૧૨૦ ,ખીમાણાવાસ :૩૨૫,ચાંદરવા :૧૫૫,કુંડાલીયા-બરડવી :૨૦૦ , રાધાનેસડા :૪૦,માવસરી :૪૫,આછુંવા : ૭૦,દેથલી :૧૧૩,કોળાવા :૫૦,ખી પાદર : ૧૬૦ ,તીર્થ ગામ : ૮૦ ,એટા : ૪૫ ,લાલપુરા : 08 ,ઉચપા –ચૂવા :૮૦,સપ્રેડા : ૯૦,  ફાંગડી:૬૦,જોર્ડીયાળી –તખતપુરા   : ૮૦,કારેલી-ગામડી –ચંદન ગઢ :૫૦,વાસરડા :૧૫૦ ,ચોટીલ :૧૫૦

આમ ટોટલ ૫૧૬૩ પશુઓ ના મોત થયા હોવાનું સરપંચ જણાવી રહય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *