વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ,માળા અને કુંડા નું વિતરણ કરાયું

છેલ્લા ત્રણ વર્ષથી ધરણીધર યુવા ગૃપ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં કાર્યરત છે.ગૌ માતા માટે ઘાસચારો,પંખીચણ,ધાબળા વિતરણ, હોસ્પિટલમાં સહાય , અનાથાશ્રમ સહાય વગેરે જેવી નાના મોટી સેવાઓ ત્થા કોરોના કાળમાં રાશનકિટો નુ વિતરણ અને ઓક્સિજન બાટલાની સહાય પણ આ ગૃપ દ્વારા આપવામાં આવી હતી.દરેક દાતાશ્રીઓનાં સહકારથી આ બધી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

‌ ત્યારે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ધરણીધર ગૃપ દ્વારા પણ કરવામાં આવી વાવ વિસ્તારમાં શાળોઓ, ધાર્મિક સ્થળો તેમજ વિવિધ જાહેર જગ્યાએ પંખી ઘર તેમજ પંખી પરબ બાંધવામાં આવેલ.રાછેણા,લોદ્રાણી વાઢીયાવાસ તેમજ વ્યક્તિ ગત રીતે વિનામૂલ્યે આ ગૃપ દ્વારા માળા અને પરબો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.અબોલ પશુ પંખી માટે જીવદયા માટે ધરણીધર ભગવાન ગૌ સેવા યુવા ગૃપ અગ્રિમ હરોળમાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *