ભાદરવા સુદ બીજની ઉજવણી:વાવ  ના રામદેવપીર મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી, નેજાધારી રામદેવપીર ના મંદિર પર ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવ્યા

બનાસકાંઠા ના વાવ ગામમાં ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીર બાબાને ધજા-નેજા અર્પણ કરવામાં આવી હતી. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી રણુંજાના રામદેવપીરના યાત્રાધામમાં ભક્તો પરંપરાગત મુજબ દાદાને ધજા, નેજા ચડાવી આશીર્વાદ મેળવે છે. એવી જ રીતે આજરોજ વાવ ખાતે રામદેવપીરને નેજા ચડાવવામાં આવ્યાં હતા.

આજરોજ વાવ રામદેવપીર ના મંદિરે ગામ લોકો ઢોલ, નગારા, બેન્ડવાજા સાથે મંદિરે પહોંચ્યા હતા. રામાપીરના નેજા લઈને પહોંચ્યા બાદ પુજારી દ્વારા સમસ્ત નેજાઓને વધાવી મંદિરના શિખર ઉપર ચડાવી બાબા રામદેવપીરનો જયધોષ કરવામાં આવ્યો હતો. તો વર્ષોની પરંપરા મુજબ રામદેવપીર મંદિરે બાબાના ધજાનેજા ચડાવી ગામના અનેક લોકોએ ધન્યતા અનુભવી હતી. આમ રામદેવપીર બાબાને ધજા નેજા અર્પણ કરવાના વિશેષ દિવસે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version