ધાનેરા માં વરસાદ ની શરૂઆત થતા જ કૈલાસ નગર ફેરવાયું બેટ માં છેલ્લા આઠ વર્ષ ની સમસ્યા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક માં ભારે રોષ… ધાનેરા માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષો થી અનેક વિસ્તાર પાણી માં ગરકાવ થવાની સ્થિતિ નસીબે લખાયેલ છે જો વાત કરવામાં આવે કૈલાસ નગર ની તો અહીંયા વરસાદી પાણી ધર સુધી પહોંચ્યા છે અને સોસાયટી ના રસ્તા પર વરસાદી પાણી ની સાથે ગટર ના પાણી અંદાજે 2 ફૂટ કરતા વધુ ભરાયા છે… કૈલાશ નગર સોસાયટી માં 3 દિવસ થી પાણી ભરાયા છે અને આજે વધુ વરસાદ આવતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ધર બહાર નીકળી શકાતું નથી કોઈ પણ સાધન સોસાયટી માં પ્રવેશી શકતું નથી સોસાયટી માં રોગચાળા એ માઝા મૂકી છે છતાં પાલિકા તંત્ર નિદ્રા માં છે ધાનેરા માં પુર સમયે આવેલી ભયકર તાસીર માંથી કઈ શીખ્યું નથી માત્ર ને માત્ર સતા નું રાજકારણ રમાઈ રહ્યું છે અને સ્થાનિકો પાલિકા ના પાપે હાલાકી ભોગવી રહ્યા છે..