પંજાબ માં પ્રચંડ જીત ને લઈને વાવ આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

પંજાબ માં આમ આદમી પાર્ટી ના પ્રચંડ જીત ને લઈને દેશ માં અને ગુજરાત માં આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહી વાવ ના નવા બસસ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી અને એક બીજા ને મો મીઠું કરાવતા નજરે પડયા હતા .

વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો જાદુ પંજાબમાં જે જબરદસ્ત ચાલ્યો છે તેનાથી ગુજરાત ભાજપની ચિંતા વધશે આપને તોડવાની પ્રારંભીક સફળતા હવે રિવર્સમાં જાય તેવા સંકેત આપ્યા છે .આ કાર્યક્રમ માં વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ,પ્રદેશ કિશાન સંગઠન મંત્રી ભુરાજી આઝાદ ,મહિલા પ્રમુખ મંજુલાબેન દરજી ,ઉ.પ્ર  ચૌધરી નારણભાઈ ,નીલેશભાઈ દેસાઈ,હેમજીભાઈ નાઈ ,પીરાભાઈ નાઈ ,કિરણ દરજી  સહીત પાર્ટી ના કાર્યકરો તેમજ લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *