વિધાનસભા ચૂંટણી અન્વયે રાજકોટ સહીત કુલ 100 મામલતદારોની ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી સબંધિત કામગીરીની તૈયારી શરુ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ચૂંટણી સબંધિત કામગીરી શરુ કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર મુકામે દરેક જિલ્લાના કલેક્ટરોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.

હવે આવતીકાલથી ત્રણ દિવસ સુધી રાજકોટ સહીત 11 જિલ્લાના મળીને કુલ 100 મામલતદારોને ચૂંટણી પંચના અધિકારીઓ ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે. આ અગાઉ રાજ્યના કલેક્ટરને ચૂંટણીની તાલીમ આપવામાં આવી હતી હવે આ તાલીમ મામલતદારોને આપવામાં આવશે. અગાઉ રાજકોટમાં જે મામલતદારોને ચૂંટણીમાં ફરજ બજાવવાની થતી હોય છે તેની તાલીમ યોજાઈ ગઈ છે.

આવતીકાલ તારીખ 23 થી તારીખ 26 સુધી રાજકોટની એવીપીટી કોલેજ ખાતે 11 જિલ્લાના 100 કરતા પણ વધુ મામલતદારોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવે. આ તાલીમમાં ચૂંટણી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ મતદાન મથકે કરવાની થતી કામગીરીની તાલીમ આપવામાં આવશે. હાલ ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે તમામ બુથો પર બીએલઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વધુમાં વધુ મતદારોના નામ નોંધાય અને ફોટાવાળી મતદાર યાદી બને તે અંગે કહેવામાં આવ્યું છે. આખરી મતદારયાદી ઓક્ટોબરમાં પ્રસિદ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *