બનાસકાંઠા ના સરહદી વિસ્તારો માં નેશનલ હાઇવે પર ખખડધજ ખાડા ઓ નું સામ્રાજ્ય જોવા મળી રહેલું છે.જેમાં વાવ થી સુઇગામ સુધી અંદાજીત 24 કિલોમીટર રોડ પર અનેક ખાડાઓ ને લઈને રોડ શોધવા પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.વાવ થી સુઇગામ જતા વાહન ચાલકો ના કહ્યા અનુસાર છેલ્લા 1 વર્ષ થી આજ પરિસ્થિતિ છે જેને લઈને રોડ પસાર થતા લોકો ને હેરાન પરેશાન થવા નો વારો આવ્યો છે .વધુ માં જણાવતા કહ્યું હતું કે રોડ બિસ્માર ને લઈને જાડી ચામડી ના અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી રોડ ની આ હાલત થયા હોવાનું જણાવી રહ્યાં છેત્યારે કહ્યાંરે થશે આ રોડ ? જેવા અનેક સવાલો લોકો કરી રહ્યાં છે ત્યારે ખખડધત હાલત માં ખખડેલો રોડ કહ્યાંરે બનશે જે હવે જોવાનું રહ્યું..