વાવ ખાતે ઉત્તરપ્રદેશ રાજ્ય માં ભારત ની બે દીકરીઓ પર કથિત સામુહિક બળાત્કાર અને બર્બરતા પૂર્વક હત્યા અને પોલીસ દમનગીરી સામે મૌન વિરાટ કાર્યક્રમ વાવ બસ સ્ટેન્ડ ખાતે યોજાયો…..
બનાસકાંઠા ના વાવ ખાતે તા .૦૬/૧૦/૨૦૨૦ ના સાંજ ના ૭ વાગે નવા બસસ્ટેન્ડ ખાતે ઉત્તરપ્રદેશ રાજ્ય માં ભારત ની બે દીકરીઓ પર કથિત સામુહિક બળાત્કાર અને બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી જેમાં અનુસુચિત જન જાતિ અને વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઠાકરસી ભાઈ રબારી ની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ઉત્તરપ્રદેશ ની સરકાર અને કેન્દ્ર સરકાર ના વિરોધ માં સુત્રોચાર કરવામાં આવ્યા .ત્યાર બાદ આશરે ૩૫ લોકો ભેગા મળી ઉત્તરપ્રદેશ ના હાથરસ માં બનેલ ધટના બાબતે કેન્ડલ માર્ચ કરી ભોગ બનેલ વાલ્મીકી સમાજ ની દીકરી ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી .