- યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ .
બનાસકાંઠા ના વાવ ખાતે તા.૨૩/૦૧/૨૦૨૧ ના રોજ વાવ રાજગઢ ખાતે વાવ રાજવી પરિવાર દ્વારા રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે વાવ ના રાજવી પરિવાર ના રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ અને તેમના યુવરાજ શિવરાજસિંહ ચૌહાણ તરફ થી રૂ.૧૨૧૦૦૦ અનુદાન આપવામાં આવ્યું હતું જે પ્રસંગે સમસ્ત નાડોલા ચૌહાણ પરિવાર ના બંધુઓ તથા બનાસકાંઠા મહાકાલ સેના ના અધ્યક્ષ સેલેન્દ્ર સિંહ વાઘેલા અને તેમની પૂરી ટીમ અને બનાસકાંઠા RSS અધ્યક્ષ દશરથ ઠક્કર અગ્રણી મિત્રો તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા .જે પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ બનાસકાંઠા મહાકાલ સેના ના પ્રમુખ અને તેમની પૂરી ટીમ તલવાર અને સાફો પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું .તત્યારબાદ પત્રકારમિત્રો નું સાફો આપી સન્માન કરવામાં આવ્યું હતું .જે પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ એ વાવ ની જનતા ને યર્થા શક્તિ પ્રમાણે શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ સમિતિ માં દાન આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો …