બનાસકાંઠાના પશુપાલકો સમગ્ર દેશમાં ઝળહતી સફળતા મેળવી રહ્યા છે જેમાં સરહદી વિષતારના સુઇગામ તાલુકાના સનાલીની મહિલા પશુપાલક રાજપૂત મોંઘીબેન વર્ધસિંહ કે જેઓ એક અભણ મહિલા પશુપાલક છે તેમના પતિ વર્ધસિંહ નાગજીભાઈ રાજપુત ગુજરાત રાજ્યના પશુપાલન ખાતામાં લાઈવસ્ટોક ઇન્સ્પેકટર તરીકે ની ફરજ બજાવે છે ચીલા ચાલુ પશુપાલન કરવાના બદલે આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન વિજ્ઞાનના સુમેળ સમન્વયથી પશુપાલન કરી ખુબજ પ્રગતિ કરી રહ્યા છે આ માટે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય, કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા(ખાસ કરીને kvk થરાદના પશુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમભાઈ પટેલ સાહેબ) અને બનાસડેરી પાલનપુરનો પૂરતો સાથ સહકાર મળતો રહ્યો છે અગાઉ પણ આ સનાલી પરાની મહિલા પશુપાલકનું રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અગાઉ પણ સમગ્ર ભારતમાં પશુપાલન ક્ષત્રે તુતીય સ્થાન મેળવી ગોપાલ રત્ન એવોર્ડ થી માનનીય પશુપાલન મંત્રીપરસોતમ ભાઈ રૂપલાજી(ભારત સરકાર) ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર ભારતમાં ગુજરાનું નામ રોશન કર્યું હતું ]

જેમાં વધુ એક વખત તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલ બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ સેમિનાર 2022માં સુઇગામનાસનાલીપરાની મહિલા પશુપાલકે રાજ્ય કક્ષાનો એવૉર્ડ મેળવ્યો હતો.આમ સમગ્ર ગુજરાત તેમજ દેશ લેવલે બનાસકાંઠા નું નામ રોશન કર્યું તે બદલ સરહદી વિસ્તાર માં ખુશી નો માહોલ છવાયો હતો