બનાસકાંઠાના મોટાભાગના તાલુકાની અંદર પીવા અને સિંચાઇ માટે પાણી માટે ખેડૂતો ને વલખા મારવા પડે છે ત્યારે ખેત તલાવડી સિવાય કોઈ ઉપાય નહીં તેવા મનોબળથી બનાસકાંઠાના ધાનેરા ડીસા અને અન્ય તાલુકામાં ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચે ખેત તલાવડીઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય ગામડા ની અંદર પણ ખેત તલાવડી બની પણ ગઇ છે જેવી કે ડીસા તાલુકાના શેરપુરા ગામ અણદાભાઈ જાટ દ્વારા પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવામાં આવી છે તેમની પેરણા થકી અન્ય ગામડાંના ખેડૂતો પણ તે ખેતતલાવડી ની મુલાકાત લઈ અને પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાનું શરૂ કર્યું છે જેમા ડીસા તાલુકાના થેરવાડા ધાનેરા તાલુકાના અનાપુર છોટા અને સામરવાડા સહિત પણ અન્ય ગામોમાં ખેત તલાવડી બનવા જઈ રહી છે ત્યારે ખેડૂતોની સિંચાઈ માટે પાણી નાં તળ ઊંડા જવા પામ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઇનો માટે એક જ ઉપાય સાથે ખેત તલાવડી બનવાની મુહિમ અપનાવી છે
