બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલું છે મોતનું શોપિંગ.. આ મોતના શોપિંગ માં ૨૦૦ જેટલી દુકાનો આવેલી છે અને જેમાંથી 100 જેટલી દુકાનો અત્યારે પણ ચાલુ હાલતમાં છે.. ધાનેરા નગરપાલિકા માત્ર નોટીસ આપીને સંતોષ માની રહી છે.. ધાનેરાના શીતલ શોપિંગ સેન્ટરના.. ધાનેરાનું શીતલ શોપિંગ સેન્ટર ધાનેરા શહેરમાં બનેલ પ્રથમ શોપિંગ સેન્ટર હતું.. 35 વર્ષ પહેલા આ શોપિંગ સેન્ટર બન્યું હતું અને છેલ્લા પાંચ વર્ષથી આ શોપિંગ સેન્ટરની હાલત ખંડેર જેવું છે..ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા પહેલાં શીતલ શોપિંગને નોટિસ ફટકારવામાં આવી હતી.. આ શોપિંગ ઉતારી લેવું અથવા તો તેનું રિપેરીંગ કરાવવું પરંતુ આજદિન સુધી આ શોપિંગ સેન્ટરનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી કે તેને ઉતારી પાડ્યું નથી.. ધાનેરા નગરપાલિકા દ્વારા શીતલ શોપિંગ સેન્ટરમાં નોટીસના મોટા બોર્ડ મારવામાં આવ્યા છે..બોર્ડ પર નોટીસ મારવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ ચોમાસા દરમિયાન આ જજરીત શોપિંગ સેન્ટરમાં જવું નહિ હોનારત સર્જાઇ શકે છે.. ધાનેરા શહેરમાં આવેલા શીતલ શોપિંગ સેન્ટરમાં અનેકવાર પોપડા પડવાથી લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને અત્યારે પણ અનેકવાર સિમેન્ટના પોપડાઓ પડતા હોય છે છતાં પણ દુકાનદારો ભય ના નેજા હેઠળ પોતાની દુકાનો ચાલુ રાખે છ
