વાવ TDO તેમજ તલાટી રેગ્યુલર નિમણુક કરવા બીજેશ મેરજા ને રજૂઆત

બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા ના તાલુકા વિકાસ અધિકારીશ્રી ની તેમજ તલાટી કમ મંત્રીશ્રી ઓ ની કાયમી અને સ્થાઈ નિમણુક આપવા માટે રાજ્ય મંત્રીશ્રી ને મનોજભાઈ પરમાર સામજિક કાર્યકર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, લેખિત અરજીમાં જણાવ્યા મુજબ વાવ તાલુકા વિકાસ અધિકારીશ્રી ની ઘણા વર્ષ સુધી કાયમી અને સ્થાઈ નિમણુક આપવામાં આવેલ નથી જેના કારણે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ ના લાભ થી સ્થાનિક લોકો વંચિત થી જાય છે જ્યારે તલાટી શ્રીઓ પાસે દશ દશ ગામડાઓ નો ચાર્જ હોવા ના કારણે ગ્રામજનો પણ સરકાર ની વિવિધ યોજનાઓ થી વંચિત રહી જાય છે અને તેમના કોઈ કામ થતાં નથી સાથે સાથે પંચાયત અધિનિયમ મુજબ તલાટી શ્રીઓ પણ કામ કરી શકતા નથી જેથી તાલુકા વિકાસ અધિકારી શ્રી ની તેમજ તલાટી શ્રીઓ ની કાયમી અને સ્થાનિક નિમણુક કરવા લેખિત મા પંચાયત મંત્રી બ્રિજેશ મિરઝા ને રજૂઆત કરવામાં આવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *