સમગ્ર દેશમાં મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખેતી તરફ સૌથી વધુ જોવા મળી રહ્યા છે રાસાયણિક ખેતી થકી આજે ખેડૂતો ખેતી કરતા હોવાના કારણે આજે જમીનનો વિનાશ થઈ રહ્યો છે.તો બીજી તરફ આજે રાસાયણિક ખેતીના કારણે ઉત્પાદન તો વધ્યું છે પરંતુ રાસાયણિક ખેતીના કારણે મોટી મોટી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.આજે મોટાભાગના ખેડૂતો ઉત્પાદન વધુ મેળવવા માટે રાસાયણિક દવાઓનો ખેતીમાં ઉપયોગ કરતા હોય છે.જેના કારણે આજે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે.ત્યારે આ તમામ પ્રસ્થિતિ વચ્ચે આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલ રોટરી ક્લબ ખાતે બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નનીર ખેરની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા સેમિનારમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આજે બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ પશુપાલન ક્ષેત્રે ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ ગામના ગ્રામ સેવકો અભિયાનમાં જોડાયા છે અને દરેક અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લાના 234 ગામ દત્તક લીધા છે જેમાં દત્તક લીધેલા ગામોમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કાર્યક્રમો કરવામાં આવશે.સાથો સાથ દરેક ગામ પ્રાકૃતિક ખેતી થકી મોડલ બને તે હેતુથી અધિકારીઓ દ્વારા ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે.ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રોટરી ક્લબ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતોને સરકારના વધુમાં વધુ લાભ મળે તે માટે જાણકારી આપવામાં આવી હતી.