અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉડાન ભરી અને ફરી લેન્ડ કર્યું લોકો એ નિહાળ્યું દ્રશ્ય

રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. આજે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.

આજે સી પ્લેન ટેસ્ટિંગ માટે ત્રણ વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા. લેન્ડિગ થયા બાદ સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉાડાન ભરી હતી, ત્યાર બાદ ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *