લાખણીમાં પશુ ડોકટર ની બદલી રોકવા પશુપાલકો એ મામ.. ને આવેદન પત્ર આપ્યું બનાશકાંઠા જિલ્લા ના લાખણી માં આવેલ પશુ દવાખાના માં પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડોકટર ગોવિંદભાઇ પ્રજાપતિ ની પશુપાલન નિયામક ગાંધીનગર દ્વારા કચ્છ ખાતે બદલી કરી દેતા લાખણી પંથક ના પશુ પાલકો માં નારાજગી જોવા મળી છે પશુ પાલકોએ જણાવ્યું હતું કે લાખણી પશુ દવાખાના માં ફરજ બજાવતા ડો. ગોવિંદભાઇ પ્રજાપતિ હંમેશા પશુપાલકો ના હિત માટે કામ કર્યું છે લાખણી તાલુકા માં આવેલ ગૌશાળા માં દેશી ગાયો ના સંવર્ધન તેમજ પશુ સુધારણા માં જેમણે સારી કામગીરી કરી છે સાથે સાથે કોરોના કાળ માં પશુ પાલકો ના ઘરે ઘરે જઈ પશુ પાલકો ના પશુઓને સારવાર કરી છે તેમજ લાખણી તાલુકા ના ગામડે ગામડે પશુ સારવાર અને વ્યંધતવના કેમ્પ યોજી પશુ પાલકો ની આવક બમણી કરવા હંમેશા આ ડોકટર પશુ પાલકો ને સાથ આપ્યો છે માટે આ ડોકટર ની બદલી રોકવા માટે આજે મોટી સંખ્યા માં પશુ પાલકો લાખણી મામલતદાર કચેરી આવી મામલતદાર ને આવેદન પત્ર આપી આ પશુ ચિકિતસક ની બદલી રોકવા માંગ કરી હતી
