બનાસકાંઠા જિલ્લામાં વસ્તીના આધારે વિભાજીત કરવામાં આવેલ ૭૩ ગામ પંચાયતમાંથી અલગ રચાયેલ નવી ગામ પંચાયતોમાં વહીવટ કરવા માટે જિલ્લા કક્ષાએથી વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. આમ જયાં સુધી નવા સરપંચ અને સભ્યોની ચૂંટણી ન થાય ત્યાં સુધી તેમાં વહીવટદાર શાસન ચાલુ રાખવામાં આવશે.આ અંગે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારની નીતિ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં નવી ૭૩ ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી હતી. જેમાં હાલના તબક્કે શાસન કરવા માટે વહીવટદારની નિમણૂક કરાઈ છે અને ચૂંટણી આવે ત્યાં સુધી તેઓ વહીવટ કરશે અને હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુલતવી રહેતા તે ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન યથાવત રહેશે.ઉલ્લેખનીય છે કે આગામી દિવસો માં વિધાનસભા ની ચુંટણી ને લઈને અનેક વાતો એ જોર પકડ્યું છે કે શું ગ્રામ પંચાયત પહેલા વિધાન સભા ની ચુંટણી યોજાશે કે શું ? જે હવે જોવાનું રહ્યું