યુગોથી ભારતીય ઇતિહાસ પર ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું

તારીખ : 28/03/2022 ના રોજ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન કેન્દ્ર તથા શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના સંયુક્ત ઉપક્રમે “યુગોથી ભારતીય ઇતિહાસ” (વારસો, સંસ્કૃતિ, સામાજીક અને રાજકીય ઇતિહાસના વિશેષ સંદર્ભમાં) વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠિનું આયોજન થયું. કાર્યક્રમનો શુભારંભ આચાર્ય ડૉ. લલિતભાઈ એસ. પટેલે  વિદ્વાન વક્તાઓ અને મહેમાનોનું સ્વાગત અને પરિચય કરાવ્યો. ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન કેન્દ્રના ઉપ-પ્રમુખશ્રી શેષ કરણ ચારણજીએ સંસ્થાના કાર્યો અને સેમિનારમાં માર્ગદર્શન પૂરું પાડયુ. પ્રારંભમાં ડૉ. પ્રદ્યુમન ખાચર (ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ) દ્વારા ભાવનગર રાજ્યનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ વિષય પર ધારદાર વક્તવ્ય આપ્યું. તો દેશનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત : પુનઃમુલ્યાંકન વિષય પર પ્રો. ડૉ. અરુણ વાઘેલા (અધ્યક્ષ  ઈતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) દ્વારા તેમના વિચારો રજુ કર્યા. પરકલા નરસંહાર – હૈદરાબાદ રાજ્યમાં મિની જલિયાવાલા બાગ અને સ્વતંત્રતા સંગ્રામ વિષય પર પ્રો. ડૉ. અરવિંદ કુમાર (ઇતિહાસ, પુરાતત્વ અને સંસ્કૃતિ વિભાગ, દ્રવિડિયન યુનિવર્સિટી, કુપ્પમ -આંધ્રપ્રદેશ) દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું. બૌદ્ધ ધર્મ અને શાંતિનો વિકાસ વિષય પર ડૉ. સૃષ્ટિ સિંઘે (સહાયક અધ્યાપક-ઈતિહાસ, આર. વી યુનિવર્સિટી, બેંગ્લોર) પ્રવચન આપ્યું. સેમિનારમાં 85 સંશોધક અને અધ્યાપકો સહભાગી બન્યા અને પોતાના લેખો રજુ કર્યા. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. ગજેન્દ્રકુમાર શ્રીમાળી, ડૉ. મીનાબેન અગ્રવાલ, ડૉ. સંગીતા એન.બકોત્રા, પ્રતાપસિંહ રાણાજી વેંઝીયા અને  નિધિ ગૌર દ્વારા કરાયું. અંતમાં આભારવિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *