સરહદી બનાસકાંઠા જીલ્લા ના ધાનેરા તાલુકા ના બાપલા ગામે દિન દાહાડે હત્યા ની ધટના સામે આવી છે જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસો અગાઉ સામાન્ય બોલા ચાલી થઇ હતી અને તેની અદાવત રાખી ને ભગાભાઈ મંગળાભાઈ વાલ્મીકી પર પાઈપ વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જાણવા મળેલ છે પાથાવાડા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ મગનભાઈ માજી રાણા હત્યા કરી થયો ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે હત્યા ની જાણ થતા આજુબાજુ લોકો નું ટોળા એકઠા થયા હતા અને પાથાવાડા પોલીસ ને જાણ કરાતા ધટના સ્થળે પહોચી ભગાભાઈ મંગળાભાઈ વાલ્મીકી ના શવ ને પી.એમ અર્થે પાથાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આરોપી ને પકડવા પાથાવાડા પોલીસે ચક્રો ગતિમાન તજવીજ હાથ ધરી છે