હરિયાવાડા ગામે દાંતીવાડા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું

દાંતીવાડા તાલુકા હરિયાવાડા ગામે પશુપાલન ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત આયોજીત દાંતીવાડા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના લોકો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા પશુપાલકોએ શિબિરમાં પશુઆહાર , પશુ સંવર્ધન , પશુ આરોગ્ય , પશુ વ્યવસ્થાપન , વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન અંગે તેમજ વિવિધ યોજનાઓ અંગે જાણકારી – માર્ગદર્શન અને નિર્દેશન આપવામાં આવ્યાં હતા આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજ ચેરમેનના પી.જે ચૌધરી અધ્યક્ષસ્થાને યોજાઇ હતી જેમાં ડો. સંજયભાઈ દેસાઈ ચેરમેન ગોપાલક સમિતિ ગાંધીનગર તેમજ નટુભાઇ ચૌધરી ચેરમેન તાલુકા ખરીદ સંઘ દાંતીવાડા હરજીવનભાઈ ચૌધરી મહામંત્રી તાલુકા ભોળાભાઈ રબારી,ઉકાજી મિયાણી ઇશ્વરભાઈ ભૂતડીયા, જેન્તીભાઈ બોચાતર, તેમજ આજુબાજુ ગામમાંથી સરપંચો હાજર રહ્યા હતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડોક્ટર બી.કે અસવાર ડોક્ટર કે.જે અંકુયા દાંતીવાડા વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર પી.બી પટેલ તેમજ તાલુકા વેટરનરી ઓફિસર ડૉક્ટર વિનોદ મકવાણાએ પશુ ને લગતી બધી માહિતી આપી હતી કાર્યક્રમના હરિયાવાડાના સરપંચ મુકેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *