ધાનેરા : શુ આવા ઇટવાડાઓ કાયદેસર છે કે, પછી બીન કાયદેસર

ધાનેરા તાલુકાના જીવાણા-થાવર ગામે વચ્ચે આવેલ ગુડી તળાવમાં મોટા પાયે ઈટવાડા ધમધમી રહ્યા છે, જે આસપાસમાં વસવાટ કરતા ખેડૂતો માટે ખૂબ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે તેમ જણાઈ આવે છે. શુ આવા ઇટવાડાઓ કાયદેસર છે કે, પછી બીન કાયદેસર રીતે સરકારી નિયમોના ભંગ કરીને ઇટવાડા બનાવવાં માં આવ્યા છે..? તેવું આસપાસના ખેડૂતો અને રાહદારી લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

  ધાનેરા તાલુકાના જીવાણા-થાવર ગામ વચ્ચે આવેલ રોડ પર ગુડી તળાવમાં આવેલ ઈટવાડાઓનું પ્રદૂષણ ફેલાએ તો આજુબાજુના ખેતરોના પાક પર પણ મોટી અને ગંભીર અસર થતી જોવા મળી રહી હોય તેવું દેખાઈ આવે છે, જેના લીધે ખેડૂતોને પણ નુકશાન ભોગવવું પડે તેમ છે. વધુમાં આ ઈંટોના ભઠ્ઠામાં કાચા માલ સામાનમાં ખાસ કરીને માટી જે તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરો માંથી રોયલ્ટી ભર્યા વગર જ ખેતરની જમીનમાંથી માટી પણ કાઢી લેવામાં આવે છે કે શુ તે પણ એક મોટો પ્રશ્ન છે, જેના લીધે આસપાસના ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુક્સાન થઈ રહ્યું હોય તેવું પણ સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

   આ બાબતે જિલ્લા કલેકટરશ્રી તપાસ કરાવી ઈટો પાડતા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકો માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *