કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. શનિવારે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઇ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિભાઇ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જીલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપેલી છે. તેમજ 2012 માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા.તેબાદ અનેક ધારાસભ્ય કોંગ્રેસ માંથી છેડો ફાડી ને ભાજપ માં જોડાયા હતા પરંતુ મણિભાઇ વાઘેલા વફાદારી નિભાવી કોંગ્રસ માં રહ્યા હતા તે બાદ કોંગ્રેસ ના સુપ્રીમો સોનિયા ગાંધી દ્વારા દિલ્હી બોલાવી તેમને ટીકીટ આપવા નું વચન આપવામાં આવ્યું હતું

પરંતુ વર્ષ ૨૦૧૭ વડગામ બેઠક પર કોંગ્રેસ મેન્ડેડ નાં આપતા વચન નહોતું પાળ્યું પરંતુ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ને ટેકો આપ્યો હતો .આ અંગે પાર્ટી માં વિખવાદ ને લઈને ગુજરાત કોંગ્રેસ ના સમિતિ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વીપક્ષ નેતા પરેશ ધનાણી ને રાજીનામું ધરી દેતા બનાસકાંઠા કોંગ્રેસ માં રાજકીય ભૂકંપ સર્જાયો હતો હવે જોવાનું એ રહ્યું કે શું કોંગ્રેસ છોડી કોઈ પાર્ટી જોઈન કરશે કે પછી ધરવાપસી થશે .