PIB :અમદાવાદ
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 118.44 કરોડ લોકોને રસી આપવામાં આવી
સાજા થવાનો દર હાલમાં 98.33% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 10,949 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,57,698 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 9,283 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,11,481 થયું, 537 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.32% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
દૈનિક પોઝિટિવીટી દર 0.80% પહોંચ્યો, છેલ્લા 51 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 61 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.93% છે
કુલ 63.47 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા