
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)
બનાસકાંઠા જિલ્લામાં દિયોદર ના મખાણું ગામે જન્માષ્ટમી ના તહેવારની ઉજવણી કરે છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ જાળવી રાખી છે. ખાસ કરીને વર્ષ દરમિયાન જે તહેવારની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. તેવા જન્માષ્ટમી ના પર્વની ઉજવણી માટે પણ આ વખતે મખાણું ગામના લોકો કૃષ્ણ ભક્તિમાં મસ્ત જોવા મળ્યા હતા જો કે આ વખતે કોરોના વાઈરસના કારણે ભક્તો પોતાના ઘરે જ રહી કૃષ્ણ ભક્તિની મજા માણી હતી. તો ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ કૃષ્ણ કાનુડા ની જન્મોત્સવનું અનેરું મહત્વ હોય છે. વાત કરીએ મખાણું ગામની અને ગામડાઓ ની બાળાઓ અને મહિલાઓ અહીંથી તળાવ મોથી માટી લાવી અને માટીની ક્રિષ્ન ભગવાન ની અને રાધા જીની માટીની મૂર્તિ બનાવી ને બહેનો દેશી ઢોલ ના તાલે રાસ ગરબે રમેં અને હજુ પણ ભારતીય જૂની સંસ્કૃતિ ને જાળવી રાખી હોય તેવું દેખાઈ રહી છે

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મખાણું ગામે મહિલા દ્વારા ક્રિષ્ન ભગવાન અને રાધાજી મૂર્તિ તૈયાર કરી અને ક્રિષ્ન ભગવાનની પૂજા કરે છે દિયોદર તાલુકા ના મખાણું આજે પણ યુવતીઓ આ તહેવારની અનેરી જૂની પરમ પરા રીતે ઉજવણી કરતી હોઈ છે જોકે બહેનો કાનુડાના ગીતો ગાઈ દેશી ઢોલ ના તાલે કાનૂડે રામે છે આ પ્રાચીન પરંપરા આજે ગામડાઓ પણ જળવાઈ રહી છે