દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને યોગ્ય સહાય બાબતે ગૌ-શાળા સંચાલકો એ વાવ મામલદાર ને આપ્યું આવેદન પત્ર ..

  • વાવ તાલુકા ના અંદાજે ૨૧ ગૌ-શાળા સંચાલકો અને ૨ પાંજરાપોળ ના સંચાલકો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું .
  • અંદાજીત ૮૫૦૦ પશુ આ ગૌશાળા માં છે

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા માં વરસાદ ના પડવાને કારણે સરહદી વિસ્તાર ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ગૌશાળા ને યોગ્ય સહાય ની માંગ સાથે આજ રોજ તા -૩૧/૦૮/૨૦૨૧ ના વાવ મામલદાર ને આવેદન પાઠવવા આવ્યું છે જેમાં વાવ તાલુકા ના ગૌ-શાળા ના સંચાલકો દ્વારા જણાવવા માં આવ્યું કે વાવ તાલુકા માં અંદાજે ૨૧ ગૌ-શાળા અને ૨ પાંજરાપોળ આવેલ છે જેમાં અંદાજીત ૮૫૦૦ પશુધન ની નિભાવણી અને ખર્ચ ને લઇ પશુધન સાચવવા મુશકેલ બન્યા છે જેથી ગૌ-શાળા  ના સંચાલકો ની અને પશુ પાલકો ને માંગ છે કે સત્વરે સરકાર જાગે પશુ ઓ ને વારે આવે તેવી લોકમાંગ છે અત્રે ઉલ્લેખનીય છે સરહદી બનાસકાંઠા માં વરસાદ ખેચાતા ની સાથે પૈસા આપવા છતાં ધાસ ચારો મળતો ના હોવાની રાવ છે જેથી પશુ ઓ મોત ને ભેટી સહકે તેવી સ્થિતિ ના સર્જાઈ  માટે સરકાર તાત્કાલિક અસર થી પશુ ઓ ને વારે યોગ્ય સહાય આવે તેવી જનમાંગ  છે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *