દીઓદર ના રાજવી અને પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રવિણસિંહજી વાઘેલા દ્વારા લોક વિકાસ ના કાર્ય નું ખાત મુહૂર્ત…

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લાલજી દરજી)

દિયોદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા તેઓના મત વિસ્તારમાં ૧૧ લાખનો સી.સી. રોડ તેમજ ૫ લાખ ના ખર્ચે તળાવ ની પાસે પેવર બ્લોક ના કામ નું ખાત મુહુર્ત દિયોદર ના પ્રતિષ્ઠિત આગેવાનો ની હાજરી અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ખાત મુહૂર્ત યોજાયું હતું અને આ વિસ્તારમાં વર્ષો જૂની રોડ ની સમસ્યાનો સામનો કરી રહેલ પ્રજાને હાશકારો થશે.અને ધનાશરી તળાવ ધીમે ધીમે રેસિડનસી એરિયામાં ડંપિંગ સાઈડ માં પરિવર્તિત થઈ રહ્યું હતું જે સ્થાનિક લોકોના આરોગ્ય સામે ખતરો હતો અને સિનિયર સીટીઝન અને બાળકો ને શાંતિથી તળાવ ની પાળે વિસામો બની શકે અને લોક ઉપયોગી બને તેવા ઉત્તમ ઉદેશ્ય સાથે પ્રવિણસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ તા.પં. દિયોદર દ્વારા ૫ લાખ ના ખર્ચે પેવર બ્લોક ના કામનું પણ મુહૂર્ત કર્યું હતું અને લોકોને આ બને કામો ઉપયોગી નીવડશે તેમ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું .આ પ્રસંગે
દિયોદર ના રાજવી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા ની ગ્રાન્ટ માંથી દિયોદર ટેકરા વિસ્તાર થી નવા રોડ આનંદ નગર સોસાયટી સુધીનો રોડ માટે અગિયાર લાખ રૂપિયા અને જુના તળાવ ધનારી પાળ પાસે પેવર બ્લોક માટે પાંચલાખ રૂપિયા વિકાશ ના કામ નું ખાતમુહર્ત માં દિયોદર નગરના પ્રતિષ્ઠત ગણમાન્ય આગેવાનો યુવાનો જોડાયા હતા અને દિયોદર રાજવી પ્રવિણસિંહ દ્વારા મંજુર કરાયેલા કામો ના ખાત મુહુર્ત પ્રસંગે સ્થાનિકોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *