સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ માં છેલ્લા ૨ મહિના પહેલા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને આપણા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા પત્ર લખી ઓક્સીજન સ્થાપવા દરખાસ્ત મૂકી હતી તે બાદ તાલુકા પંચાયત ના ૧૫ નાણાપંચ ની ગ્રાન્ટ ગુજરાત ના વિકાસ કમિશનરે હેતુ ફેર કરી સ્થાપવા મંજુરી આપીં હતી .ત્યારબાદ છેલ્લા ૨ મહિના થી ઓક્સીજન પ્લાન્ટ નું કામ કાજ ખોરભે ચડતા ની સાથે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે જો કે જાણવા મળતી માહિતી અનુસાર સુઈગામ તાલુકા માં ઓક્સીજન ફાળવણી બાદ ગણતરી ના દિવસો માં પ્લાન્ટ તૈયાર થઇ ગયો હતો અને તેનું લોકાર્પણ થઇ ગયેલ છે તો વાવ માં ૨ મહિના શા માટે ? કેમ આટલો વિલભ થતા ની સાથે ચર્ચા નો વિષય બન્યો છે .જો કે બીજી લહેર માં સરહદી પંથક માં અંદાજે કેટલાય લોકો ઓક્સીજન ના અભાવ ના કારણે મૃત્યુ પામ્યા હતા જોકે વિજ્ઞાનીકો કહ્યા અનુસાર ટૂંક દિવસો માં ત્રીજી લહેર નું આગમન ભવિષ્ય વાણી કરી રહ્યા છે તો બીજી બાજુ વાવ તાલુકા માં ઓક્સીજન પ્લાન્ટ કયારે બનાવાશે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ૫૦ લાખ ના પ્લાન્ટ નું લીગલ ટેન્ડરરીંગ ની કામગીરી કેટલે પહોચી છે ?જે બાબત તમામ વિગતો મીડિયા સમક્ષ જાહેર કરાય તેવી લોકહિત ની માંગણી છે