
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
સુઇગામ તાલુકાના ઉચોસણ ગામમાં ગામ નજીક આવેલ ઠાકોર સમાજ સ્મશાનભૂમિ તેમજ દલિત સમાજની સ્મશાન ભૂમિમાં સુઇગામ તાલુકા પંચાયતના મનરેગા વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે,ઠાકોર સમાજ તેમજ દલિત સમાજની સ્મશાન ભૂમિમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરી,તેનું વ્યવસ્થિત જતન થાય,તેમ જ એ વૃક્ષોથી સ્મશાન ભૂમિ પણ હરિયાળી લાગે તે આશયથી સુઇગામ તાલુકા પંચાયત ના મનરેગા વિભાગ દ્વારા ખાસ વૃક્ષારોપણના કામોને પસંદ કરવામાં આવ્યાં છે,જેમાં આજે વનીકરણ કાર્યનું ખાત મુહૂર્ત કરાયું હતું,આ પ્રસંગે મનરેગા ટેક્નિકલ આસિસ્ટન્ટ એલ.બી.નાગોરી,તલાટી કમમંત્રી ગઢવી સહિત ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા