- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
મોરવાડા ઉચોસણ સીંગલપટ્ટી રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે , જેમાં રોડ બન્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા રોડની બન્ને સાઈડોમાં મેન્ટલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે , પણ આ મેન્ટલના ઢગલા રોડ વચ્ચે જ કરવામાં આવતા હોઈ વાહનચાલકોને પરેશાની વેઠવા નો વારો આવ્યો છે , રોડ વચ્ચે જ ઢગલા હોઈ સાઈડ આપવામાં વાહનચાલકોને સાવચેતી રાખવી પડી રહી છે , હાલે વરસાદ ની સીજન ચાલુ હોઈ કામ બંધ છે , કોન્ટ્રાકટરની ઢીલી કામગીરીથી લોકોમાં પણ કચવાટની લાગણી જોવા મળી રહી છે…