- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજથી શુભારંભ થઈ રહેલ કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો. 18 થી 44 વર્ષની વયજૂથની વ્યક્તિઓને હવેથી વૉક-ઈન વેક્સિનેશન લઇ શકશે. વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે સરહદી બનાસકાંઠા ના વાવ ના chc ખાતે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ખુલ્લું મુકવામાં આવ્યું.કોરોના જેવી મહામારી ને બચવા આજ રોજ વાવ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં દેશમાં પ્રથમવાર વિના મુલ્યે ૧૮ થી ૪૪ વર્ષ વય ના લોકો માટે ઓન ધ સ્પોટ વેક્સીનેશન ની શરૂઆત કરવામાં આવી. જેમાં કોરોના સામેનું એકમાત્ર હથિયાર હોય તો તે છે કોરોના વેક્સીન. (Corona vaccination) ૨૧ જુન થી 18 વર્ષથી૪૪ વર્ષ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જીલ્લા ઓ વિવિધ તાલુકા ઓ માં ઓન ધ સ્પોટ વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓન ધ સ્પોટ વેક્સીનેશન નો ઘણા લોકોએ લાભ લીધો છે

વાવ chc અને phc ના સંલગ્ન સાજેદારી થી કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાંસિંહ ચૌહાણ ના અગ્રસ્થાને ખુલ્લું મુકવામાં આવ્યું જેમાં જીલ્લા તેમજ તાલુકા ભાજપ ના કાર્યકરો હાજરી આપી હતી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નવ નિયુક્ત જીલ્લા અનુ.જાતિ પ્રમુખ અરુણ ભાઈ આચાર્ય તેમજ રામસેંગ ભાઈ કેશરકૃપા ,ભરતભાઈ સોઢા ,ભગવાનભાઈ વ્યાસ તાલુકા ન્યાય સમિતિ ના પ્રમુખ દાનાભાઈ પરમાર ,કનુભાઈ બારોટ સહીત ના આગેવાનોઅને કાર્યકર્તા હાજર રહ્યા હતા
વિડીઓ જોવા કલીક કરો