સુઇગામ રેફરલ હોસ્પિટલમાં 30 બેડ માટે ઓક્સિજન લાઇન ફિટિંગનું કામ પૂર્ણ.

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

કોરોના મહામારીમાં સરહદી સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ઓક્સિજનને લઈ ખૂબ જ હાલાકી વેઠવી પડી હતી,અને કેટલાય લોકોએ ઓક્સિજનના અભાવે પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો હતો,તે સમયે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ તરફથી 10 બોટલ ઓક્સિજન ફાળવવામાં આવેલ,અને વહીવટીતંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરાતાં દાતાઓના સાથ સહકારથી કેટલાક લોકોની જિંદગી બચાવી લેવાઈ હતી,ખાસ કરીને સુઇગામ રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટેની રજુઆત ને ધ્યાને લઇ 40 લાખના ખર્ચની મંજૂરી અપાઈ છે,અને દાતાઓ તેમજ વહીવટીતંત્રના સહયોગથી રેફરલ હોસ્પિટલમાં 30 બેડ પર ઓક્સિજન પાઇપ ફિટિંગનું કામ પૂર્ણ થયેલ છે,ત્યારે ઝડપથી ઓક્સિજન પ્લાન્ટ નંખાય તો ઓક્સિજન માટે લોકોને દૂર જવું ન પડે અને ઘર આંગણે જ સુવિધા મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *