નડાબેટ ખાતે પોતાનું જીવન સેવા માટે સમર્પિત કરનાર વિહાજી ભાણાજી રાજપૂત ના અવસાન થી સરહદી પંથકમાં શોક નો માહોલ છવાયો……….

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ 


 સરહદી સુઇગામ ના નડાબેટ ખાતે મંદિર માં સેવા આપતા વિહાજી ભાણાજી રાજપૂત ઉદાર ભાવ ના ઉમદા વ્યક્તિ હતા.નડાબેટ રણ માં આવેલ નડેશ્વરી માતાજીના મંદિરમાં દર્શનાર્થે આવનાર તમામ ભક્તો ને ભોજન ની વ્યવસ્થા કરી કોઈ ભૂખ્યું ન રહે તેની કાળજી રાખતા અને આવનાર તમામ ભક્તો ને રદય ના ભાવથી જમાડવા ની વર્ષોથી અવિરત સેવા કરનાર  રાજપૂત વિહાજી ભાણાજી કોરોના સામે જંગ હારી જતા દુઃખદ અવસાન થયું છે ના સમાચાર થી સરહદી સુઇગામ પંથક માં શોક છવાઈ ગયો છે . સ્વ..રાજપૂત વિહાજી ભાણાજી સ્વભાવે ખૂબ જ શાંત અને લાગણીશીલ વ્યક્તિ હતા,તેમની મંદિર મા આવનાર ભક્તજનો પ્રત્યે અતૂટ લાગણી હતી  આજે આ નડેશ્વરી મંદિર માં આવા સેવાભાવી વ્યક્તિ ના અવસાન થી ખૂબ જ મોટી ખોટ પડી છે,અને આ ખોટ ક્યારેય પુરાય તેવી નથી,આ જેથી સ્વ..રાજપૂત વિહાજી ભાણાજી ની સેવા કાયમ માટે જીવંત રહેશે... 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *