વાવ – થરાદ ના પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂત નું નિધન થતા સમગ્ર પંથક માં શોક નો માહોલ …

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ

વાવ તાલુકાના અસારા ગામના વતની કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂતનું ગતરોજ તા.૬ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ | કલાકેનિધન થયું હતું. જેને પગલે સરહદી | પંથકમાં શોક ની લાગણી ફેલાઇ રહી છે. તમામ જ્ઞાતિના લોકોએ હેમાજી રાજપૂત ના અંતિમ પાર્થિવ દેહ ના દર્શન કર્યા હતા. હેમાજી રાજપૂતના અવસાનના સમાચાર | સાંભળીને માત્ર રાજપૂત સમાજ જ નહીં, વાવ થરાદ મત વિસ્તાર જ નહિ, બનાસકાંઠા જિલ્લા ના લોકો દુઃખી થયા | છે. સાદાઈ, પ્રમાણિકતા અને પ્રજા પ્રત્યેની વફાદારીના ગુણોની કદર કરીને ભારત સરકારે તેઓને બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પણ આપેલો છે. વાવ થરાદ મત વિસ્તારની પ્રજાની તેમણે ખૂબ સેવા કરી છે. આજે પણ ગરીબ પ્રજાના દિલમાં હેમાજીનું સ્થાન કર્યા હતા. છે. પોતાના મત વિસ્તારની પ્રજા માટે હેમાજી એટલે ભગવાન. હેમાજી પોતાનું વાહન લઇને કયાંય પણ જતા હોય અને કોઈ પણ માણસ ગાડી ઉભી રાખવા માટે હાથ કરે તો હેમાજી તરત જ પોતાની ગાડી ઉભી રાખતા અને તરત જ પોતાની ગાડીમાં બેસાડી દેતા. આ હેમાજી રાજપૂત  ના સ્વભાવની ઉદારતા રહી છે. જે હેમાજી રાજપૂત વાવ તાલુકાના અસારા ગામના વતની હતા. જેઓ કોંગ્રેસ પાર્ટી ના અગ્રણી હતા. અને છેલ્લા કેટલાય ટમ થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.જેઓનું લાંબી માંદગી બાદ ૯૫ વર્ષ ની ઉંમરે નિધન થયું છે. નિધન થતા સમગ્ર પંથકમાં શોક ની લાગણી ફેલાઈ રહી છે. કેટલાક અગ્રણીઓ હેમાજી રાજપૂતના પાર્થીવ દેહના અંતિમ દર્શન કરવા જોડાયા હતા. જેમાં બનાસકાંઠા સાંસદ સભ્ય. પરબતભાઇ પટેલ. ગોવાભાઈ દેસાઈ. ગુમાનસિંહ. માડકા જેવા કેટલાક અગ્રણીઓ આગેવાનોએ પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પરિવાર ને સાત્વના પાઠવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *