યે હૈ ન્યુઝ ઇન્ડિયા :થેરવાડા(મહાવીરશાહ)
બનાસકાંઠા ના ડીસા થેરવાડા ગામે એક ગૌ વંશ બિમાર હાલત માં મળી આવતા જીવદયાપ્રેમી મહાવીર ભાઇ શાહ દ્વારા બનાસકાંઠા ની બે મોટી ગૌ શાળા નો સંપર્ક કરતા ત્યાં થી સારવાર આપવાની ના પાડવા માં આવી હતી અને જણાવ્યું હતું કે અમારા ત્યાં માત્ર દેશી ગાય ની સેવા કરવામાં આવે છે ત્યારે મહાવીર ભાઇ શાહ અને થેરવાડા ગ્રામ જનો દ્વારા રાજપુર પાંજરાપોળ ના સક્રિય કાર્યકર્તા આશિષભાઈ કાંકરિયાને ટેલીફોનીક સંપર્ક કરતા આશિષભાઈ એ તાત્કાલિક રાજપુર ડીસા પાંજરાપોળ થી એમ્બ્યુલસ મોકલી આ ગૌ વંશને સારવાર માટે ડીસા ની રાજપુર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યુ હતું મહાવીર ભાઇ એ વધુ માં જણાવ્યું હતું કે ગૌ શાળા સંચાલક કો એ હાથ ઉપર કરી દેતા અમો એ આશિષભાઈ કાંકરિયાને ટેલીફોનીક સંપર્ક કરતા આજે આ ગૌ વંશ ને નવું જીવન દાન મળ્યું છે. થેરવાડા ગ્રામ જનો એ 108 જેવી ઝડપી જેવા બદલ આશિષભાઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.