યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા માં કેનાલો માં ગાબડું પડવા નું સિલ સીલો યથાવત છે જયારે વાવ તાલુકા ના સપ્રેડા અને નાળોદર ગામની ડીસ્ત્રીબ્યુટર કેનાલ માં મસ્ત મોટું ૨૦ ફૂટ નું ગાબડું પડતા ખેતરો માં ઉભા પાક જેવા કે જીરું ,એરંડા ના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો અને જયારે ૩ દિવસ માં ૩ કેનાલો માં ગાબડા પડતા વાવ ના સપ્રેડા ડીસ્ત્રીબ્યુટર ગાબડું પડતા લાખો લીટર પાણી નો બગાડ અને દર વર્ષે એક જગ્યાએ ગાબડું પડતા ગ્રામ લોકો તથા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો …આમાંરી મીડિયા ટીમે સ્થળ પર જઈ ત્યાના ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે સરહદી વાવ પંથક જોવા જઇયે તો કોઈ કેનાલ માં ગાબડું પડવું એ એક આમ વાત છે જેને લઇ અમાર સપ્રેડા અને નાળોદર ગામની ડીસ્ત્રીબ્યુટર નિમ્ન કક્ષા વાળું કામ હોઈ કેનાલ તૂટી છે પ્રથમ દ્રષ્ટી એ અમારી એક જ માંગ કે આમારા પાકો પર ફરેલ પાણી નું વળતર અને કેનાલ રીપેરીંગ કરી આપવામાં આવે જેથી આગળ પડતી મુશ્કેલી ન સર્જાય ..