ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ટ્રેનથી કપાયેલા યુવકના. ટ્રેન નીચ પડતું મુકાયા બાદ યુવકના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા. તેમ છતાં તે યુવક વારંવાર એક જ વાક્ય બોલતો હતો આમાં કોઈની કોઈ જ ભૂલ નથી.
આ ઘટના રૌજા ક્ષેત્ર પોલીસ સ્ટેશનની છે જ્યાં સોમવારે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. 19 વર્ષનો હર્ષવર્ધન નામનો યુવક પોતાની માતા પાસેથી પૈસા લઈને ઘરેથી નીકળ્યો હતો પરંતુ તે પછી પરિવારને તે ટ્રેન નીચે કપાઈ ગયો હોવાના સમાચાર મળ્યા હતા.
ઘટના પછી સ્થાનિક લોકોએ 108 નંબર પર ફોન કરીને મેડિકલ કોલેજ મોકલ્યો જ્યાં ડોકટર્સે તેની સારવાર શરૂ કરી. લગભગ 12થી 13 કલાક સુધી સારવાર ચાલી જે બાદ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ યુવકના બંને પેટ પરિવારને સોંપી દિધા હતા જ્યાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મેડિકલ કોલેજના પીઆરઓ પૂજા પાંડેનું કહેવું છે કે સોમવારની સવારે લગભગ 10 વાગ્યે એક યુવક ટ્રેન નીચે કપાઈ ગયો હતો. જે બાદ તેને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોની એક ટીમે તેમની સારવારમાં લાગી ગઈ હતી પરંતુ યુવકના કમરના નીચેનો ભાગ અલગ થઈ ગયો હતો. અને આ કારણે જ તેના શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હતું. આ કારણે જ સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ તેનું મોત નિપજ્યું હતું.