કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ડો.હર્ષવર્ધન કહ્યું- વેક્સિન દિલ્હીમાં જ નહીં, પણ આખા દેશમાં ફ્રીમાં મળશે

કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું હતું કે અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને અસરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલિયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયોમુક્ત થઈ ચૂક્યો છે, સાથે જ સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *