
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી રાજ્યમાં બે દિવસ સુધી માવઠું રહી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુમાન પ્રમાણે 30 માર્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
આ આગાહીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ બદલાતા હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાં થોડો રાહત અનુભવાઈ શકે છે. પરંતુ બીજી બાજુ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના તબક્કે હોય તેવા વિસ્તારોમાં નુકસાન થવાની આશંકા છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન અપડેટ પર નજર રાખવા વિનંતી કરી છે, જ્યારે ખેડૂતોને પાક સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.