ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. પાંચસો કરોડ ની જોગવાઈ કરી હતી તેમાં ગુજરાતની તમામ રજીસ્ટર ગૌશાળા પાંજરાપોળ માં આશ્રિત ગૌવંશ સહિત ના પશુઓના નિભાવ માટે આ યોજનાની જાહેરાત કર્યા પછી સરકાર તરફથી યોજનાનો અમલ કરાવવા માટે સંચાલકોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ કાયૅવાહી ન કરતા આજે ભાભર હરીધામ ગૌશાળા ખાતે ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકો ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું આ સંમેલનમાં સરકાર સામે લડત માટે રણનિતી જાહેરાત કરવામાં આવી હતી

જેમાં ગુજરાતના ગૌભકતો સંચાલકો વિવિધ સંગઠનો ના પ્રતિનિધિઓ સરકારને વારંવાર રજૂઆત કરી પરીણામ ના મળતા આંદોલનની શરૂઆત કરી તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો આ સંમેલનમાં પાંચ હજાર કરતાં વધારે ગૌભકતો અને સંચાલકો ઉપસ્થિતિ રહ્યા હતા પોતાની વેદના ઠાલવી હતી હવે ગૌભકતો સંચાલકો દ્વારા ગુજરાત માં ઉગ્ર આંદોલન કરવા નો નિર્ણય લેવામાં આવ્યો જો સરકાર સાત દિવસ માં નિર્ણય નહિ લેતો ગુજરાત ની 1700 ગૌ શાળા તેમજ પાંજરાપોળ ની ચાવી ઓ સરકાર ને સોંપવા માં આવશે તેમજ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમજ ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવું ઉપસ્થિત સાધુ સંતો તેમજ ગૌ શાળા પાંજરાપોળ ના સંચાલકો તેમજ ગૌ રક્ષકો એ નિર્ણય લીધો હતો પોતાની વેદના ઠાલવી હતી