થરાદ ની નાગલા પુલ પાસે કેનાલ વધુ એક લાસ મળી આવી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્યકેનાલમાં અવારનવાર આપઘાત ની ઘટનાઓ તેમજ લપ્સી જવા થી કેનાલમાં ડુબી ને મોતને ભેટવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છેજેમાં લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો અંદાજીત ૨૫ વર્ષીય યુવક કેનાલમાં જમ્પલાવી મોત ને ભેટ્યો છે.મળતી માહિતી મુજબ થરાદની મુખ્ય કેનાલ નાગલા પુલ પાસે યુવક ડૂબ્યો હોવાનો કોલ થરાદ ફાયર ફાઈટર ટીમ ને મળતા ધટના સ્થળે પહોચી ત્રણ કલાકની શોધખોળ બાદ તેની ડેડ બોડી મળી આવેલ હતી  તેની ઓળખ લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો જોયતાભાઇ ભીખાભાઈઅપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર ને ઘટનાની જાણ થતાપરિવાર દોડી આવ્યો હતો ત્યારે મૃતદેહ ને પરિવાર ને સોંપવામાં આવ્યો હતો.જોકે આ લખાય ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી કે યુવકની આત્મહત્યાપાછળનું કારણ પણ જાણી શકાયું ન હતું. આમઅવારનવાર બનતી આવી ઘટનાઓથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *