BJP લુખ્ખાઓની પાર્ટી બની ગઈ છે, AAP મંત્રી મનોજ સોરઠીયાને મારી નાખવાનું કાવતરું ઘડાયું હતું : ઇસુદાન ગઢવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) જોરશોરથી પોતાનુ કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે AAP દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમા ભાતા અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો પ્રદાન કરવામાં આવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.

મનોજ સોરઠિયા પરના હુમલાને અરવિંદ કેજરીવાલે વખોડ્યો આ હુમલાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાટ કર્યું છે કે આ રીતે વિપક્ષ પર હુમલો કરવો પોગ્ય નથી. ચુંટણીમાં હાર-જીત તો થયા કરે છે, પરંતુ વિપક્ષને હિંસાથી મચડવો, આ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા અને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છુ કે દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે. ‘ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યું, મનોજભાઈ સમજે એ પહેલા જ માથામાં પાઇપ મારી છે. અત્યારસુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નૈતા પર હુમલા કર્યા છે. ભાજપ જુના, લકુંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપની બે-ચાર હત્યા કરાવાનો પ્લાન છે.

‘ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ‘ ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે. ગુજરાતની સંસ્કૃતિને ક્યાં પહોંચાડી છે. ભાજપની આ હિન્દુવિરોધી નીતિ છે. ચૂંટણો લોહિયાળ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનર પણ નિષ્ફળ ગયા છે. તમારે પણ તપાસ કરવી જોઈએ, નહીં તો રાજીનામું આપી દેવું જોઈએ. મનોજ સોરઠિયા પર નહિ, પણ ગુજરાતની જનતા અને શાંતિ પર હુમલો કર્યો છે. ‘નરેન્દ્ર મોદી પણ સ્ત્રીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા થળી છે. ભાજપની નીતિને વખોડવા અપીલ કરીએ છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. AAPથી ભાજપ ડરી ગયો છે. અમારા પર 7 વખત હમલા થયા છે. તેના ફોટો સહિતના પુરાવા આપ્યા છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, પોલીસ હવે પપેટ બની ગઈ છે. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી અમારી માગ છે અને બહારના રાજ્યની પોલીસને ચૂંટણીમાં બંદોબસ્તમાં બોલાવવામાં આવે એવી માગ છે. આપના રાજ્યસભા સાંસદ સુરત પહોંચ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠયા ઉપર થયેલા હુમલાબાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, મનોજ સોરઠીયાને વાના ભાગે ઇજા થતાં તેઓ હાલ મેંમર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આપના કેન્દ્રીય નેતા સુરત તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. આમ આદમી પાર્ટી રાજ્યસભા સાસદ રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સુરત એરપોર્ટથી સીધા સ્મિમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મનોજ સૉરઠીયાના ખબર અંતર પૂછવા હતા. આપની વધતી લોકપ્રિયતાથી ડર રાઘવ ચઢ્ઢાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ ગુંડાઓને આગળ કરી રહી છે. આપની ગુજરાતમાં વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે અને તેના કારણે અમારા નેતાઓ ઉપર હુમલા કરીને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણી આપ અને ભાજપ વચ્ચે ધનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ગુંડાનો ઉપયોગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *