ગાયો ના મોત તેમજ સારવાર અને આંકડા છુપાવતી સરકાર સામે ભારતીય કિશાન સંધ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું

બનાસકાંઠા ના અંતરિયાળ તાલુકા ઓ માં અને ગામો માં લંપી ગ્રસ્ત ગૌ વંશની અત્યારે સ્થાનિક લેવલે સેવાભાવી લોકો તેમજ એન.જી.ઓ દ્વારા સેવા થઈ રહેલ છે અને સરકારશ્રી આ લંપી ગ્રસ્ત ગૌ વંશની કોઈ તકેદારી લેતી નથી તેમજ વાવ તાલુકામાં આ લંપી રોગ માં પાંચ હજારથી પણ વધુ ગૌ વંશના મૃત્યુ થયેલ છે અને સરકારશ્રી આ ગૌ વંશ મરણના આંકડા પણ છુપાવી રહેલ છે અને આ લંપી રોગની યોગ્ય વેક્સિનનું સંશોધન કરી લંપી રોગ પર કાબૂ મેળવાવ યોગ્ય પગલાં લઈને તેમજ લંપી રોગના કારણે જે ગૌ વંશના મરણ થયેલ તેમનું સર્વે કરી/કરાવી ગૌ શાળાઓ તેમજ વ્યક્તિગત સહાય ચૂકવવા આદેશો કરવામાં આવે અને અગાઉ ગૌ વંશ માટે મુખ્ય મંત્રીશ્રી એ જે પાંચસો કરોડની જાહેરાત કરેલ તેનો ઠરાવ કરી સત્વરે સહાય ચૂકવવામાં આવે માંગ કરી છે અને વધુમાં ગૌ માતા માટે સારવાર માટે કોઈ દવા હાજર નથી તેવું પણ સ્થાનિક ગૌ પ્રેમીઓ જણાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *