સમગ્ર ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લા માં હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાને લઈને તેમજ દાંતીવાડા તાલુકામાં ભારે વરસાદ પડેલ હોઈ તેમજ દાંતીવાડા ડેમ ૭૦ ટકા જેટલો ભરાયો હોવાથી તેમજ માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહેલ હોઈ, સદરહુ પાણી દાંતીવાડા ડેમમાં આવવાની પૂરેપૂરી શકયતા હોઈ, તથા ડેમમાંથી પાણી નદીમાં છોડવાની સંભાવના હોઈ, ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામના લોકોને તથા પશુઓને નદી વિસ્તારમાં ન લઈ જવા સુચના આપવામાં આવે છે વધુમાં, દાંતીવાડા ડેમની આજુબાજુના ગામના માછીમારી કરતા માછીમારોને ડેમમાં ન ઉતરવા ખાસ તાકીદ કરવામાં માટે સુચના આપવામાં આવી છે.