સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ તાલુકામાં વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે.તો વળી વાવ,સુઈગામ નેશનલ હાઈવે પર આવેલ ભાટવર ગામ ના ડેડાવા રોડ પર કમર સુધી વરસાદી પાણીનો ભરાવો થતાં 100 લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સંભાવના ને લઈને સ્થાનિક લોકોએ સત્વરે પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ, વાવ તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.તો વળી વર્ષોથી પાણીનાં રસ્તાઓ પર નાળાની સફાઈ કે રસ્તાઓ બંધ હોવાને કારણે પાણીનો ભરાવો થાય છે.ત્યારે ભાટવર ગામ સહિત ખેતરો બેટમાં ફેરવાઈ જવાથી ખેડૂતો સહિત ગ્રામજનો વરસાદી પાણીને કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.ત્યારે તાલુકા પંચાયત ના ડીઝાસ્ટર વિભાગ ના કર્મચારી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ધટના સ્થળ ની મુલાકાત કરી પાણીનાં નિકાલને લઈને પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું .